સ્વકરમ અનુસાર જીવની ગત્તી, પુનર્જન્મ.
લોકો પોતપોતાનાં કર્મોની દોરીથી બંધાએલા છે . મનુષ્યનાં પૂર્વે કરેલા કર્મો જ તેના સુખ અગર દુઃખનાં કારણ થાય છે, આ જીવાત્માએ પોતાના પૂર્વ દેહકૃત કર્મોથી આ શરીર ધારણ કરેલું છે તથા પાછો આ દેહના કર્મો પ્રમાણે એ બીજુ શરીર ધારણ કરશે . એ પ્રમાણે આત્માને સદા પુનઃ પુનઃ દેહની પ્રાપ્તિ થતી રહે છે . મનુષ્ય જે પ્રમાણે જુનાં વસ્ત્રોને ઉતારીને પાછો નવાં વસ્ત્ર પહેરી લે છે તે પ્રમાણે દેહધારી જીવ જુના શરીરને છોડીને નવીન શરીર ધારણ કરી લે છે . Mg
No comments:
Post a Comment