// અમૃતનાદોપનિષદ્ //
આ ઉપનિષદ્ કૃષ્ણ યજુર્વેદ સાથે સંબંધિત છે. આ ઉપનિષમાં પ્રણવની ઉપાસના સાથે યોગનાં છ અંગો-
પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, પ્રાણાયામ, તર્ક (સમીક્ષા) અને સમાધિ વગેરેનું વર્ણન કરવામાં આવેલું છે. પ્રાણાયામની
વિધિ, કારની માત્રાઓનું ધ્યાન, પાંચ પ્રાણોનું સ્થાન અને રંગોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. યોગ સાધકે
ભય, ક્રોધ વગેરે માનસિક વિકારોથી મુક્ત બનીને, આહાર-વિહાર, ચેષ્ટા-કર્મ, સુવુ-જાગવું ઇત્યાદિ કર્મોને સંતુલિત
બનાવી રાખવાનો નિર્દેશ છે. સાધનાના ફળસ્વરૂપ દેવતુલ્ય જીવનની પ્રાપ્તિથી માંડી, બ્રહ્મ નિર્વાણ સુધીની ઉપલબ્ધિનું
માર્ગદર્શન આપવામાં આવેલ છે.
| શાંતિપાઠઃ |
ॐ सह नाववतु। सह नौ भुनक्तु। सह वीर्यं करवावहै।
तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै।।
ॐ शान्तिः शान्तिः शान्तिः॥
હે પરમાત્મનું! આપ આપણા બંનેયની (ગુરૂ-શિષ્ય) એક સાથે રક્ષા કરો. આપણા બંનેયનું એક
સાથે પાલન કરો. આપણે બંનેય એક સાથે શક્તિ અજિત કરીએ. આપણા બંનેયની ભણેલી વિદ્યા
તેજસ્વી (પ્રખર) બનો. આપણે બંને એકબીજા પ્રત્યે ક્યારેય ઇર્ષા-દ્વેષ ન કરીએ. હે શક્તિ-સંપન્ન!
(અમારા) ત્રિવિધ (આધિભૌતિક, આધિદૈવિક, આધ્યાત્મિક) તાપોનું શમન થાવ, અક્ષય શાંતિની
પ્રાપ્તિ થાવ.
शास्त्राण्यधीत्य मेधावी अभ्यस्य च पुनः पुनः।
परमं ब्रह्म विज्ञाय उल्कावत्तान्यथोत्सृजेत्॥२॥
પરમ જ્ઞાનવાન મનુષ્યનું, એ કર્તવ્ય છે કે, તે શાસ્ત્રાદિનું અધ્યયન કરીને, વારંવાર એનો
અભ્યાસ કરતાં, બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ કરે. વિદ્યુતુના પ્રકાશ સમાન, આ ક્ષણ-ભંગુર જીવનને (આળસ-
પ્રમાદમાં) નષ્ટ ન કરે..૧//
ओंकाररथमारुह्य विष्णुं कृत्वाथ सारथिम्।
ब्रह्मलोकपदान्वेषी रुद्राराधनतत्परः।।२॥
૩ૐકાર રૂપી રથમાં આરુઢ થઇને તથા ભગવાન વિષ્ણુને, પોતાના સારથિ બનાવીને, બ્રહ્મલોકના
પરમપદનું ચિંતન કરતાં-કરતાં, જ્ઞાની પુરુષ દેવાધિદેવ ભગવાન્ રુદ્રની ઉપાસનામાં, તલ્લીન
રહે./રો
(પ્રાણ, અગર લૌકિક સુખોના ઉપભોગ ઉપર આરુઢ થઇ જાય છે, તો ક્ષીણ બની જાય છે. જ્યારે રેડિયો-
તરંગો પર, ધ્વનિને આરોપિત (સુપર ઇમ્પોજ) કરવામાં આવે છે તો રેડિયો તરંગો કૅરિયર (રથ) બનીને એ ધ્વનિને
વિશ્વભરમાં પહોંચાડી દે છે. એજ પ્રમાણે ઉૐકાર પર આરોપિત પ્રાણ, પરબ્રહ્મ સુધી પહોંચી જાય છે).
तावद्रथेन गन्तव्यं यावद्रथपथि स्थितः।
स्थात्वा रथपतिस्थानं रथमुत्सृज्य गच्छति॥३॥
No comments:
Post a Comment