Friday, January 1, 2021

V Sagar Sanskrit to Gujarati Slokas

'શમ વગેરે છ સાધનનાં નામ
शम दम श्रद्धा तीसरी, समाधान उपराम ।
छठी तितिच्छा जानिये, भिन्नभिन्न यह नाम ॥ १५ ॥
(૧) શમ, (૨) દમ, (૩) શ્રદ્ધા, (૪) સમાધાન, (૫) ઉપરામ અને
(૬) તિતિક્ષા : એ માદિ ધ સંપત્તિનાં જુદાં જુદાં નામ છે. ૧૫
શમ-દમનાં લક્ષણ
मन विषयनतें रोकनों, सम तिहीं कहत सुधीर ।
इन्द्रियगनको रोकनों, दम भाखत बुधवीर ॥ १६ ॥
(૧) વિષયોથી મનને રોકવું તેને ધીર પુરુષો ‘શમ' કહે છે. (૨) વિષયોથી
ઇન્દ્રિના સમુદાયને રોકવે તેને સમર્થ શાનીઓ “દમ” કહે છે. ૧૬
શ્રદ્ધા અને સમાધાનનું લક્ષણ
सत्य वेद गुरु वाक्य है, श्रद्धा अस विश्वास ।
समाधान ताकू कहत, मन विछेपको नास ॥ १७ ॥
(૩) ગુર અને વેદનાં વચન સાચાં જ છે એવા વિશ્વાસને ‘શ્રદ્ધા' કહે છે.
(૪) મનના વિક્ષેપ(ચંચળતા )ના નાશને સમાધાન' કહે છે. ૧૭
ઉપરામનું લક્ષણ
चोपाई-साधन सहित कर्म सब त्यागे, लखि विषसम विषयनते भागे ।
ग नारी लखि है जिय ग्लाना, यह लच्छन उपराम बखाना ॥
સ્ત્રી, ધન, જાતિ અભિમાન આદિ કર્મનાં સાધનો સહિત સઘળાં કર્મના ત્યાગ
કર, તથા શબ્દાદિ વિષયોને ઝેરના જેવા જાણીને તેનાથી દૂર નાસવું તેમ જ આખા
વડે સ્ત્રીને જોઈ મનમાં ગ્લાનિ ઊપજવી એ ઉપરામનાં લક્ષણોને પંડિતોએ વખાણ્યાં છે.
ટીકા-એક વખત ત્યાગ ર્યા પછી પ્રાપ્ત થયેલા વિયેની ઇચ્છા ન કરવી
તેને “ઉપરામ' કહે છે. ઉપરામનું બીજું નામ “ઉપરતિ’ પણ છે. ( બીજા બધા
વિષયો કરતાં સ્ત્રીવિષય પ્રબળ હોવાથી ગ્રંથકાર તે વિષે વારંવાર ચેતવણી આપે છે.)
તિતિક્ષાનું લક્ષણ
दोहा-आतप सीत छुधा तृषा, इनको सहन स्वभाव ।
ताहि तितिच्छा कहत है, कोविद मुनिवर राव ॥ १९॥
તાપ, ટાઢ, ભૂખ, તરસ-એ સર્વને સહન કરવાના સ્વભાવને વિદ્વાન એવા
ઉત્તમ સંન્યાસીઓ ‘તિતિક્ષા' કહે છે. ૧૯
શમાદિ સાધનાની પરસ્પર અપેક્ષા
समादिषट् संपत्तिको, भाखत साधन एक ।
इम नव नहिं साधन भने, किन्तु ज्यारि विवेक ॥२०॥

No comments:

Post a Comment