Sunday, September 27, 2020

સંસાર ની નિરસતા

( જીવનના ) ભાગ , મેઘમડળમાં ચમકતી વિજળીના સમાન ચંચળ છે તથા આયુષ્ય અગ્નિમાં તપાવેલા લોહપિંડ ઊપર પડેલા જળબિંદુ સમાન ક્ષણિક છે . જે પ્રમાણે સર્પના મ્હોં માં પડેલા દેડકે મચ્છરોને તાકતો રહે છે તે પ્રમાણે લેાક કાળરૂપ સર્પર્થી ગ્રસ્ત થએલા પણ અનિત્ય ભાગોની ચાહના રાખે છે . પિતા , માતા , ભાઈ , સ્ત્રી તથા બંધુ બાંધવાનો સાગ , જળાશય ( પાણીની પરબ ) ઊપર એકત્રિત થએલા જીવે અથવા નદી પ્રવાહમાં ભેગાં મળેલાં લાકડાંના સમાન ચંચળ છે . એ નિઃસદેહ જણાય છે કે લક્ષ્મી , છાયાના સમાન ચંચળ તથા યૌવન જળ તરંગના જેવું અનિત્ય છે . સ્ત્રી સુખ સ્વપ્નના સમાન મિશ્યા તથા આયુ અત્યંત અલ્પ છે , તેમના ઉપર પણ પ્રાણિયાને કેટલું અભિમાન છે ? આ સંસાર સદાએ રાગાદિથી ભરેલે અને સ્વમ તથા ગંધર્વ નગરના સમાન મિથ્યા છે . મૂઢજનજ તેને સત્ય માનીને તેનું અનુ સરણ કરે છે . કાચા ઘડામાં ભરેલા પાણીની પેઠે આયુ પ્રતિક્ષણ ક્ષીણ થતું રહે છે , તથા રાગસમૂહ શરીરને ધોઈ નાખે છે . વૃદ્ધાવસ્થા સિહણના સમાન ડરાવતી સામે ઉભેલી છે તથા મૃત્યુ પણ તેની સાથે સાથે ચાલતું સમયની વાટ જોઈ રહ્યું છે .
 Manishbhai

No comments:

Post a Comment