Thursday, December 31, 2020

Man is image of the God, Dirghayu thay Shankay kharu? Gujarati

૧. દીર્ધાયુ થઈ શકાય ખરું ?
મનુષ્ય ઈશ્વરની પ્રતિકૃતિ છે. ( Man is an image of
God.) એટલે કે ઈશ્વરે મનુષ્ય-પ્રાણી ઉપર ખૂબ જ કૃપા વરસાવી છે,
તેને પોતાનું સર્વ સામર્થ્ય અર્પણ કર્યું છે. મનુષ્ય ધારે તો કૃષ્ણ બની શકે
છે, શ્રીરામ બની શકે છે કે શકિતના અવતારરૂપ હનુમાન બની શકે છે.
કોઈ યુવાન મન સાથે નિશ્ચય કરી પુરુષાર્થ આદરે તો ગામાં પહેલવાન જેવી
તાકાત મેળવી શકે છે. કોઈ મનુષ્ય ધારે તો અધ્યાત્મ-જ્ઞાનમાં ઊંડા ઊતરી
પરમ જ્ઞાની અરવિંદ, રમણ મહર્ષિ, સ્વામી વિવેકાનંદ કે મહર્ષિ દયાનંદ
સરસ્વતી જેવો મહાન સંત કે સમાજ-સુધારક થઈ શકે છે. મનુષ્ય એ
ભગવાનનો અંશ છે. તે ધારે તેવો મહાન બની શકે છે. જે-તે સિદ્ધિ પ્રાપ્ત
કરવી એ તેના હાથની વાત છે.
મનુષ્યનું શરીર પરમાત્માનું મંદિર છે. આ મંદિર સર્વ રીતે
સુવ્યવસ્થિત, સુઘડ અને સુંદર હોય તો જ પરમાત્માના નિવાસ માટે યોગ્ય
ગણાય અને પરમ દયાળુ ઈશ્વર એમાં નિવાસ કરે. સાધારણ સ્થિતિની
વ્યકિત પણ પોતાનું રહેવાનું ઘર સાધુ, સુઘડ, દેદીપ્યમાન, પવિત્ર, મજબૂત
અને ટકાઉ રાખવાનો પ્રયત્ન કરે છે. તો પછી જે ઘરમાં પરમાત્માનો વાસ
છે તે ઘરને વૈકુંઠધામ જેવું સર્વશ્રેષ્ઠ બનાવવાની અનિવાર્યતા કેટલી બધી
છે, તેનો ખ્યાલ દરેક વ્યકિતને હોવો જરૂરી છે. આપણે આપણા શરીરરૂપી
મંદિરને વૈકુંઠધામ જેવું બનાવીએ અને આરોગ્યશાસ્ત્રના નિયમોને અનુસરીને
શતાયુની મંજિલ સર કરીએ.
શરીરશાસ્ત્ર અથવા આરોગ્યશાસ્ત્ર એક મહાન જીવનશાસ્ત્ર છે. એટલા
માટે જ આયુર્વેદને ‘ઉપવેદ’ ગણ્યો છે. આરોગ્યશાસ્ત્ર ઘણું જ ગહન,
ઊંડું અને અટપટું છે. તે ખૂબ અભ્યાસ, પાંરેશ્રમ તેમજ એકાગ્રતા માગી
લે છે. આ ગહન વિષયને સહેલો અને લોકભોગ્ય બનાવવા આજે અમેરિકા
અને અન્ય પશ્ચિમના દેશોમાં જે ભવ્ય પુરુષાર્થ ચાલી રહ્યો છે, તેનો ખ્યાલ
ભારતના અમેરિકા ખાતેના ભૂતપૂર્વ રાજદૂત શ્રી નાની પાલખીવાલાએ
આપેલો છે. તેની નોંધ લેવાથી આપણી આરોગ્ય વિશેની ઊણપ દૂર
કરવામાં તે આપણને પ્રેરણાનું ભાથું આપે તેમ છે.

No comments:

Post a Comment