Thursday, December 31, 2020

What's Old age? Gujarati

૨, વૃદ્ધાવસ્થા એટલે શું ?
સામાન્ય રીતે લોકો વૃદ્ધાવસ્થાને એક પ્રકારની અસાધ્ય સ્થિતિ માને
છે. એના પ્રતિકારનો કોઈ ઉપાય નથી, એમ માની તેને સ્વીકારી લે છે.
વૃદ્ધાવસ્થા આવી એટલે તેની પાછળ પાછળ વા, સંધિવા, અજીર્ણ,
કબજિયાત, આંખના મોતિયા, મનની બહેરાશ એવા એવા અનેક રોગો
આવે જ તેમ લોકો માને છે.
વૃદ્ધત્વ આવે એટલે આવા નિરાશાના સૂર સર્વત્ર સાંભળવા મળે
છે. પરંતુ મહાયાત્રાનો પંથ હોંશે હોંશે સ્વીકરવા કોઈ તૈયાર થતું
નથી અને વ્યકિત ડૉક્ટરી સારવારની પાછળ દોડધામ કરી મૂકે છે.
આ પરથી જણાય છે કે દીર્ધાયુષી થવાની સૌ કોઈની ઇચ્છા હોય છે, પરંતુ
કોઈને પણ સ્વસ્થ જીવન જીવવા માટે યોગ્ય પ્રયત્ન કરવો નથી.
હવે સાચી હકીકત સમજો કે વૃદ્ધાવસ્થા એ રોગ નથી, શરીરની
એક પ્રક્રિયા છે, કુદરતનો ક્રમ છે. કુદરતના આ ક્રમને દરેકે સ્વીકારી
લેવાનો છે. પરંતુ કુદરતના નિયમોને આધીન રહીને તેમજ કુદરતના
નિયમોનું પાલન કરીને વૃદ્ધત્વને અકાળે આવતું અટકાવી શકાય છે, તેને
દૂર ઠેલવું હોય તેટલું ઠેલી શકાય છે.
ઉંમર વધવા સાથે શુદ્ધ રકતવાહિનીઓ અને અશુદ્ધ રકતવાહિની-
ઓમાં અર્થાત ધમનીઓ અને શિરાઓમાં (ધોરી નસોમાં) એક જાતનું
વિજાતીય દ્રવ્ય (એક જાતના ચૂનાના ક્ષાર જેવું ) એકઠું થાય છે અને
વધારાના પડની જેમ તેમાં ચોંટી જાય છે. આ કારણે નસો બરડ થાય છે
અને રુધિરાભિસરણની ક્રિયાને નડતરરૂપ થાય છે. નસોની ક્ષમતામાં ઘટાડો
થઈ વૃદ્ધત્વનાં ચિહનો દેખાવા લાગે છે. હવે જો આ દ્રવ્યને ધમનીઓ
અને શિરાઓમાં એકઠું થતું અટકાવવામાં ન આવે તો તે સતત વધ્યા જ
કરે છે અને તે આખા શરીરતંત્રને ભારે નુક્સાન કરે છે. આવી સ્થિતિ
નિર્માણ થતાં યુવાનીની સ્કૂર્તિ, ચપળતા, ઉત્સાહ અને ધગશ અદૃશ્ય થાય
છે. આખાયે શરીરને વૃદ્ધાવસ્થાની મંદતા, શિથિલતા અને નીરસતા પ્રાપ્ત
થાય છે. આ વિજાતીય દ્રવ્ય મનુષ્યની રગેરગમાં સ્થગિત થઈ જડતા 

No comments:

Post a Comment