Thursday, December 31, 2020

Eyes care, નેત્રરક્ષા અદશ્ય ચશ્માં (કૅન્ટેકટ લેન્સીસ) Gujarati

 : નેત્રરક્ષા
અદશ્ય ચશ્માં (કૅન્ટેકટ લેન્સીસ)
૩, (૪) : માથાને ચકાકાર ફેરવવાની કસરત :
આમાં એક સાથે ઉપરની ત્રણે કસરતાનું મિશ્રણ છે. પ્રથમ ગળાને
હડપચીથી દબાવો. ત્યાંથી માથું જમણા ખભા તરફ ફેરવી, પાછળની
બાજુ લઈ જઈ, ડાબા ખભા તરફ થઈને મૂળ જગ્યાએ લાવે. આ
રીતે ત્રાણુ ચક્ર જમણી બાજુથી લે અને ત્રણ ચક્ર ડાબી બાજુથી લે.
એ રીતે ત્રણ ત્રણ કરીને કુલ્લે ૧૨ ચક્ર લે. આ કસરત કરતી વખતે માથું
જેમ જેમ ફરતું જાય તેમ તેમ ચારે બાજુ જોતા રહે. આ કસરતા
પૂરી કર્યા પછી ફરીને ૧૦૦ અંકનું એક હથેળીઢાંકણુ કરો.
આ બધી કસરતે બે દિવસ પછી ૧૬-૧૬ની સંખ્યામાં કરવી.
મીન બે દિવસ પછી વધારીને ૨૦-૨૦ની સંખ્યામાં કરવી. એટલેથી
અટકવું'.
કસરતોને અંતે આંખોને પૂર્ણ આરામ આપવા માટે ૧૦ થી ૧૫
મિનિટનું શવાસન કરવું ખૂબ લાભદાયક છે. તે વખતે સાથે સાથે
લોહચુંબક્વાળાં (મૅગ્નેટિક ) ચશ્માં પહેરી રાખ્યાં હોય તો આંખો
સારી રાખવામાં અને સુધારવામાં વિશેષ મદદ મળી રહે છે.
લોકો અદેય ચશ્માં લેવાં કે નહિ તે માટે અવારનવાર સલાહ
પૂછતા હોય છે. આથી તે સંબંધી થોડેક વિચાર કરવો જરૂરી છે.
કેટલાંક વર્ષોથી અદેશ્ય ચમાં ઉપયોગમાં આવવાં શરૂ થયાં છે.
પૈસેટકે સુખી શ્રીમત વર્ગમાં એનો ઉપયોગ ઠીક ઠીક શરૂ થઈ
ગયા છે. કેટલાક લોકોને જાહેરમાં ચશ્માં પહેરવામાં સંકોચ થાય છે,
તે કેટલાક લોકોની એવી ભ્રામક માન્યતા છે કે ચશમાં પહેરવાથી ચહેરા
કઢગે થઈ જાય છે. મુખ્યત્વે આ માન્યતાઓને લીધે જ અદશ્ય
ચમાં ખાસ અપનાવવામાં આવે છે. વાસ્તવમાં જે બહુ વધુ નંબર ના હોય
તે ચશ્માં પહેરવાથી ચહેરાનું કઢંગાપણું આવતું નથી. ઊલટાનું
ઘણી જ વ્યક્તિઓનું વ્યક્તિત્વ એનાથી વધે છે એવું જોવા મળે છે.
બીજી રીતે જોઈએ તે કૅન્ટેકટ લેન્સ માટે ભાગે સૌદર્યવર્ધક
(Cosmetic) વસ્તુ તરીકે વધુ અપનાવવામાં આવે છે.
વૈજ્ઞાનિકે અને આ ધંધામાં પડેલા લેકોનું કહેવું છે કે
અદેશ્ય ચમાંના ઉપયોગથી વધતે નંબર અટકાવી શકાય છે, પરંતુ
એના ઉપયોગ પછી પણ નંબર વધતો રહ્યો હોય એવું જોવા મળે
છે; જો કે કેટલાક દાખલાઓમાં અદશ્ય ચશ્માંથી નંબર સ્થિર થયે
હોય એવું પણ સંભળાય છે. આ મુદ્દો થોડોક વિચાર માગી લે છે.
પહેલે સવાલ એ છે કે અદશ્ય ચમાં કઈ ઉંમરની વ્યક્તિઓ અપ-
નાવે છે ? સાધારણ રીતે તેર, ચૌદ કે પંદર વર્ષની ઉંમર સુધી
એને ઉપગ નહિવત્ છે. એ વાપરવામાં ઘણી જ કુશળતા જોઈ એ.
સારી કુશળતા અને ફાવટ નાની ઉંમરનાં બાળકો અને કિશોરોને
આવી શકતી નથી. નજરની ખામી વધવાને કેમ સાધારણપણે નવ,
દેશ કે અગિયાર વર્ષની ઉંમરે વધુ પ્રમાણમાં જોવામાં આવે છે.
શરૂઆતમાં ત્રણ ચાર વર્ષ સુધી નંબર વધવાનું પ્રમાણ વધુ હોય
છે, કારણ કે એ વર્ષો દરમિયાન શારીરિક વિકાસ વધુમાં વધુ થતા હોય
છે. હવે જે નજરની ખામી નિમણુ થઈ ચૂકી હોય તો શારીરિક
વિકાસની સાથે સાથે શરીરનાં બીજા અંગોની જેમ, નજરની ખામી.

Eye-sight Testing method, Gujarati

નેત્રરક્ષા
(Eye-sight Testing
method) : સારા ઉજાશવાળા મોટા ઓરડામાં ૪ થી ૫ ફૂટની
ઊંચાઈએ નકશે ટીંગાડો. એ નકશાથી ૬ મિટરના અંતરે એક
સ્કૂલ મૂકી તેના પર જેની નજરની પરીક્ષા કરવી હોય તેને બેસાડે.
બન્ને આંખો વડે જુદું જુદું વાચન કરાવવું. પ્રથમ ડાબી આંખ ડાબા
હાથની હથેળી વડે હળવેથી ફક્ત ઢાંકવી; બંધ કરવી નહિ. ત્યારપછી
જમણી આંખે વાચન કરાવવું. જે ૬ મિટરવાળી લીટી સ્પષ્ટ વાંચી
શકાય તે જમણી આંખ સારી છે એમ સમજવું. એ જ રીતે જમણી
આંખ ઢાંકીને ડાબી આંખની પરીક્ષા કરવી.
નકશો વાંચતી વખતે આંખોને બિલકુલ શ્રમ આ૫વે નહિ
અથવા આંખો ઝીણી કરીને કે આગળ ઝૂકીને વાંચવાનો પ્રયાસ
કરવો નહિ. મહેનત કર્યા વગર આરામથી નકશે વાંચે તે જેવું.
ઘરમાં દરેક બાળકનું એક કાર્ડ બનાવે. તેમાં જ્યારે જ્યારે
આંખ તપાસે ત્યારે ત્યારે નોંધ કરો. તેની નોંધ કરતા રહેવાથી અને
ટેવ પાડવાથી બાળકની આંખની સારી રીતે સંભાળ લઈ શકાશે.
દષ્ટિશક્તિ (Visual Accuity) તપાસની નોંધ કરવા
માટેના કાર્ડનો નમૂનો :
ઉંમર
તપાસાની જમણી આંખ
ડાબી આંખ
તારીખ ચમા વગર, ચમા સાથે | ચમા વગર ચમા સાથે
નામ
ઉપર પ્રમાણે એક કાર્ડ બનાવી દર ત્રણ મહિને નજરની
તપાસ કરી નેધ કરતા રહેવું. દર વર્ષે નવું કાર્ડ બનાવવું. જૂનું કાર્ડ
ફાઈલમાં સાચવી રાખવું. ઘરની દરેક વ્યક્તિની નજરની તપાસ કર્યા
કરવી. જેમાં ચશ્માં પહેરતા હોય તેઓની પણ તપાસણી થઈ શકે.
ચમાં વગર અને ચમાં સાથે. ચશમાંના નંબરમાં ફેરફાર થયા છે
કે નહિ તેની સમજણ પડતી રહેશે.

Shree Ganeshji Stuti Gujarati

-શ્રી ગણેશ સ્તુતિ
હે માં! આખુંયે વિશ્વ તેં તારા વિરાટોનાય વિરાટ
એવા મહાસ્વરૂપમાંથી પ્રગટ કરેલું છે અને અખિલ બ્રહ્માંડના
અણુએ અણુમાં તું જ પ્રકાશી રહેલી છે. માં ભગવતી! મારા
અંધકારના પડદાઓ ચીરી નાંખ અને મારી સન્મુખ પ્રગટ
થા માં! કૃપા કર.
વિનેશ્વરાય વરદાય સુરપ્રિયાય
લંબોદરાય સકલાય જ ગઢિતાય
નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય
ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે
ભક્તાર્તિનાશાનું પરાય ગણેશ્વરાય
સર્વેશ્વરાય સુખદાય સુરેશ્વરાય
વિઘા ધરાય વિકટાય ચ વામનાય
ભક્ત પ્રસન્ન વરદાય નમો નમસ્તે
ને
નમસ્ત બ્રહ્મપાય વિષ્ણુરુપાય તે નમઃ |
નમસ્તે રૂદ્રરુપાય કરિરુપાય તે નમ:
||
વિશ્વરૂપ સ્વરૂપાય નમસ્ત બ્રહ્મચરિણા
ભક્ત પ્રિયાય દેવાય નમતુલ્ય વિનાયક ||
લંબોદર નમસ્તુભય સતત મોદક પ્રિયઃ
નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા //
હે માં! મારા પ્રત્યેક અણુમાં પ્રગટ થા, દુરિત
ઇચ્છાઓ, વિપરીત વાસનાઓ અને કલુષિત કામનાઓ
પાછળ વેડફી નાખેલા મારા કેટલાય જન્મો મેં દુ:ખો અને
યાતનાઓ માં પસાર કર્યા છે, માં! આ જન્મ મારી પ્રાર્થના
સાંભળ અને મારા અંધકારગ્રસ્ત પ્રાણની ક્ષુદ્ર વાસનાઓને
તારી આભામાં ઓગાળી નાખ. માં! હું પ્રાણું છું કે મારા
જીવનની પ્રત્યેક ક્રિયા તારી ઇચ્છાને અનુરૂપ બની રહો,
મારું આખુંયે જીવનસંપૂર્ણ પણે તને જ સમર્પિત થાઓ!
હે! માં મારા આજના સર્વે કાર્યો તને સમર્પ છું તારી
ઇચ્છા અનુસાર જ તે સૌ સધાય એવું તું મને જ્ઞાન આપ,
બળ આપ, પ્રકાશ આપ, પ્રેરણા આપ! માં ! સદા સર્વદા
મારું રક્ષણ કર!
માં
પ્રાતઃ પ્રાર્થના
૩ૐ મહાપ્રભો શ્રી અરવિંદો નમ:
8 રવિ માત રન્નાદે નમઃ
માં ભગવતી! કૃપા કરીને એવું વરદાન આપ કે હું
તને એક ક્ષણ ભર પણ વીસરું નહિ અને તન મન પ્રાણ
અને આત્મા સાથે મારું બધુંય તે કેવળ તારું જ બની રહો!
હે માં! તને મારાં કોટિ કોટિ વંદન હો!
હે માં ભગવતી! જય શ્રી મીરાં માં! અનંત કોટિ
બ્રહ્માંડોની અધિષ્ઠાત્રી! આખાયે વિશ્વના અણુએ અણુમાં
વ્યાપી રહેલ છે મહેશ્વરી! આજના આ સુપ્રભાતે તને
સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું તને મારાં હજારો વંદન હો!
જય શ્રી ભગવતી !
ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ, ગુરૂદેવો મહેશ્વર
ગુરૂઃ સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મ શ્રી ગુરૂવે નમઃ

Ayurvedic Smoking, Gujarati આયુર્વેદિક દ્રવ્યોના પદ્ધતિસરના ધૂમ્રપાન

આયુર્વેદિક દ્રવ્યોના પદ્ધતિસરના ધૂમ્રપાનની જોરદાર
स्वास्थ्यप्रद धूम्रपान
निर्दोष
फील्टर सिगार बीड़ी) (आयुर्वेद प्रमाणित)
આયુર્વેદના અધિકૃત ગ્રંથોમાં આયુર્વેદના ધૂરંધરો
જેવા કે ચરક, સુશ્રુત, શારંગધર અને ભાવપ્રકાશે કેટલાક
રોગોના ઇલાજ માટે તેમજ તેમનાથી બચવા માટે શુદ્ધ
હિમાયત કરી છે. આ રોગોમાં માથાનું ભારેપણું, આધાશીશી,
શરદી-સળેખમ, અનિદ્રા વગેરેનો સમાવેશ થાય છે.
આવી બીડી તૈયાર કરવાનો હેતુ છાતી અને
મસ્તકને નુકસાનકર્તા તમાકુયુક્ત ધૂમ્રપાનથી લોકોને મુક્ત
કરવાનો અને શુદ્ધ આયુર્વેદિક પદ્ધતિ દ્વારા વાતાવરણ
શુદ્ધિ અને અંગતશુદ્ધિને પ્રોત્સાહિત કરવાનો છે. આવું
ધૂમ્રપાન કરવા પર માત્ર રક્તપિત્તવાળા, ઝેર ચડ્યું હોય
તેવા તેમજ સગર્ભા સ્ત્રીઓ માટે જ મનાઈ ફરમાવી
હોવાથી પંચાણું ટકા જેટલી વસ્તી આ ધૂમ્રપાન મુક્ત-
મને કરીને તેની લહેજત માણી શકે છે.
આ નિર્દોષ બીડીમાં જેઠીમધ, તુલસીના માંજર,
તજનાં પાન, અગર, પીપળ, ઉમરડો વગેરે ચૌદેક જાતનાં
આયુર્વેદ ઔષધોની કાળજીપૂર્વકની પસંદગી કરવામાં
આવી છે. તેમને શુદ્ધ કરીને પદ્ધતિસરનું મિશ્રણ તૈયાર
કરવામાં આવે છે.

Man is image of the God, Dirghayu thay Shankay kharu? Gujarati

૧. દીર્ધાયુ થઈ શકાય ખરું ?
મનુષ્ય ઈશ્વરની પ્રતિકૃતિ છે. ( Man is an image of
God.) એટલે કે ઈશ્વરે મનુષ્ય-પ્રાણી ઉપર ખૂબ જ કૃપા વરસાવી છે,
તેને પોતાનું સર્વ સામર્થ્ય અર્પણ કર્યું છે. મનુષ્ય ધારે તો કૃષ્ણ બની શકે
છે, શ્રીરામ બની શકે છે કે શકિતના અવતારરૂપ હનુમાન બની શકે છે.
કોઈ યુવાન મન સાથે નિશ્ચય કરી પુરુષાર્થ આદરે તો ગામાં પહેલવાન જેવી
તાકાત મેળવી શકે છે. કોઈ મનુષ્ય ધારે તો અધ્યાત્મ-જ્ઞાનમાં ઊંડા ઊતરી
પરમ જ્ઞાની અરવિંદ, રમણ મહર્ષિ, સ્વામી વિવેકાનંદ કે મહર્ષિ દયાનંદ
સરસ્વતી જેવો મહાન સંત કે સમાજ-સુધારક થઈ શકે છે. મનુષ્ય એ
ભગવાનનો અંશ છે. તે ધારે તેવો મહાન બની શકે છે. જે-તે સિદ્ધિ પ્રાપ્ત
કરવી એ તેના હાથની વાત છે.
મનુષ્યનું શરીર પરમાત્માનું મંદિર છે. આ મંદિર સર્વ રીતે
સુવ્યવસ્થિત, સુઘડ અને સુંદર હોય તો જ પરમાત્માના નિવાસ માટે યોગ્ય
ગણાય અને પરમ દયાળુ ઈશ્વર એમાં નિવાસ કરે. સાધારણ સ્થિતિની
વ્યકિત પણ પોતાનું રહેવાનું ઘર સાધુ, સુઘડ, દેદીપ્યમાન, પવિત્ર, મજબૂત
અને ટકાઉ રાખવાનો પ્રયત્ન કરે છે. તો પછી જે ઘરમાં પરમાત્માનો વાસ
છે તે ઘરને વૈકુંઠધામ જેવું સર્વશ્રેષ્ઠ બનાવવાની અનિવાર્યતા કેટલી બધી
છે, તેનો ખ્યાલ દરેક વ્યકિતને હોવો જરૂરી છે. આપણે આપણા શરીરરૂપી
મંદિરને વૈકુંઠધામ જેવું બનાવીએ અને આરોગ્યશાસ્ત્રના નિયમોને અનુસરીને
શતાયુની મંજિલ સર કરીએ.
શરીરશાસ્ત્ર અથવા આરોગ્યશાસ્ત્ર એક મહાન જીવનશાસ્ત્ર છે. એટલા
માટે જ આયુર્વેદને ‘ઉપવેદ’ ગણ્યો છે. આરોગ્યશાસ્ત્ર ઘણું જ ગહન,
ઊંડું અને અટપટું છે. તે ખૂબ અભ્યાસ, પાંરેશ્રમ તેમજ એકાગ્રતા માગી
લે છે. આ ગહન વિષયને સહેલો અને લોકભોગ્ય બનાવવા આજે અમેરિકા
અને અન્ય પશ્ચિમના દેશોમાં જે ભવ્ય પુરુષાર્થ ચાલી રહ્યો છે, તેનો ખ્યાલ
ભારતના અમેરિકા ખાતેના ભૂતપૂર્વ રાજદૂત શ્રી નાની પાલખીવાલાએ
આપેલો છે. તેની નોંધ લેવાથી આપણી આરોગ્ય વિશેની ઊણપ દૂર
કરવામાં તે આપણને પ્રેરણાનું ભાથું આપે તેમ છે.

What's Old age? Gujarati

૨, વૃદ્ધાવસ્થા એટલે શું ?
સામાન્ય રીતે લોકો વૃદ્ધાવસ્થાને એક પ્રકારની અસાધ્ય સ્થિતિ માને
છે. એના પ્રતિકારનો કોઈ ઉપાય નથી, એમ માની તેને સ્વીકારી લે છે.
વૃદ્ધાવસ્થા આવી એટલે તેની પાછળ પાછળ વા, સંધિવા, અજીર્ણ,
કબજિયાત, આંખના મોતિયા, મનની બહેરાશ એવા એવા અનેક રોગો
આવે જ તેમ લોકો માને છે.
વૃદ્ધત્વ આવે એટલે આવા નિરાશાના સૂર સર્વત્ર સાંભળવા મળે
છે. પરંતુ મહાયાત્રાનો પંથ હોંશે હોંશે સ્વીકરવા કોઈ તૈયાર થતું
નથી અને વ્યકિત ડૉક્ટરી સારવારની પાછળ દોડધામ કરી મૂકે છે.
આ પરથી જણાય છે કે દીર્ધાયુષી થવાની સૌ કોઈની ઇચ્છા હોય છે, પરંતુ
કોઈને પણ સ્વસ્થ જીવન જીવવા માટે યોગ્ય પ્રયત્ન કરવો નથી.
હવે સાચી હકીકત સમજો કે વૃદ્ધાવસ્થા એ રોગ નથી, શરીરની
એક પ્રક્રિયા છે, કુદરતનો ક્રમ છે. કુદરતના આ ક્રમને દરેકે સ્વીકારી
લેવાનો છે. પરંતુ કુદરતના નિયમોને આધીન રહીને તેમજ કુદરતના
નિયમોનું પાલન કરીને વૃદ્ધત્વને અકાળે આવતું અટકાવી શકાય છે, તેને
દૂર ઠેલવું હોય તેટલું ઠેલી શકાય છે.
ઉંમર વધવા સાથે શુદ્ધ રકતવાહિનીઓ અને અશુદ્ધ રકતવાહિની-
ઓમાં અર્થાત ધમનીઓ અને શિરાઓમાં (ધોરી નસોમાં) એક જાતનું
વિજાતીય દ્રવ્ય (એક જાતના ચૂનાના ક્ષાર જેવું ) એકઠું થાય છે અને
વધારાના પડની જેમ તેમાં ચોંટી જાય છે. આ કારણે નસો બરડ થાય છે
અને રુધિરાભિસરણની ક્રિયાને નડતરરૂપ થાય છે. નસોની ક્ષમતામાં ઘટાડો
થઈ વૃદ્ધત્વનાં ચિહનો દેખાવા લાગે છે. હવે જો આ દ્રવ્યને ધમનીઓ
અને શિરાઓમાં એકઠું થતું અટકાવવામાં ન આવે તો તે સતત વધ્યા જ
કરે છે અને તે આખા શરીરતંત્રને ભારે નુક્સાન કરે છે. આવી સ્થિતિ
નિર્માણ થતાં યુવાનીની સ્કૂર્તિ, ચપળતા, ઉત્સાહ અને ધગશ અદૃશ્ય થાય
છે. આખાયે શરીરને વૃદ્ધાવસ્થાની મંદતા, શિથિલતા અને નીરસતા પ્રાપ્ત
થાય છે. આ વિજાતીય દ્રવ્ય મનુષ્યની રગેરગમાં સ્થગિત થઈ જડતા 

Acupressure Gujarati

એક્યુપ્રેશર
સર્જનહારે | કુદરતે માનવમાત્રને આપેલ અણમોલ ભેટ.
તદ્દન નિર્દોષ – એક દિવસનું બાળક પણ આ ઉપચાર કરાવી
શકે.
કૅન્સર જેવા રોગ પણ અટકાવી શકાય, નિદાન થઈ શકે અને
ઉપાય પણ.
ઍક્યુપ્રેશર પદ્ધતિ દ્વારા થતું નિદાન - તાત્કાલિક – તેમજ
MRI દ્વારા થતાં નિદાન જેટલું જ સચોટ – જાતે કરી શકાય,
ખર્ચ વિના.
તદ્દન સરળ અને અદ્ભુત...
દસ વર્ષનું બાળક પણ શીખીને મૅક્ટિસ કરી શકે.
રોગ માત્રના ભયથી મુક્તિ અપાવનાર. હૃદય રોગ, કૅન્સર,
એચ.આઈ.વી. | એઇટ્સ જેવા દરેક પ્રકારના રોગો મટી
શકે છે.

Hare krushna

I bow Ye again ! Universes ' Supports and Benefactors Twain ! Lotus - Eyed Brahmin Gems ! O Purest Rages ! Divine Fulfillers of the laws of all ages ! stariani fara upantof : aprayenisa tai Fiffty ! 
Out of Mercy alone the Glories of the Divine Name , Unprecedented in epic history to spread Krishna Prem , And to relish Its luscious sweetness with gay abandon Sri Krishna graced this earth as Sri Sachinandan . Twas ne'er , given before in history's chequered record And was tasted anew by Him with Bhaktas in gay accord . May Gaur - Hari of the splendour of molten gold Illumine the hearts of us all — both young and old ,