સત્યાગ્રહ આશ્રમ,
સાબરમતી,
તા. ૨૪-૭-૧૯૨૮
ભાઈશ્રી વલ્લભભાઈ,
મને તો લાગે છે કે ગવર્નરના ભાષણનો આપણે ટૂંકામાં ટૂંકો જવાબ આપવો
જોઈએ. તેમાં લોકોને ભમાવવાનો ભારે પ્રયત્ન છે. તેવી વસ્તુનો લાંબો જવાબ આપીને
આપણે નુકસાનમાં ઊતરીએ, એમ સમજીને ટૂંકો જ જવાબ મોકલું છું. પંકા ત્રિપામાં
મેં ગઈ કાલે લેખ લખ્યો. ભાષણ ઉપરથી તેને સુધારવાની ઇચ્છા ન થઈ અને વિશેષ
લખવાનું પણ માંડી વાળ્યું. તમે ત્યાંથી કહો એટલું જ હાલ બસ ગણી લઈએ. આવતે
અઠવાડિયે તો વળી છે જ. પણ એક વિચાર આજે મનમાં ઘોળાયા કરે છે. આ ૧૪
દિવસ બહુ બારીકીના છે. એટલે આપણા તરફથી એવું એક પણ વચન ન નીકળે કે
જેથી સમાધાની થવાની જ હોય તો તેમાં વિદન આવે. તેથી હું માનું છું કે જો ત્યાં હાલ
સુરતમાં, તમારું કંઈ કામ ન હોય તો થોડા દહાડા અહીં રહી જાઓ; અથવા તો તમને
યોગ્ય લાગે અને ઇચ્છો તો હું ત્યાં પડાવ નાખું. તમને પકડયા વિના તો હવે ન
જ ચાલે. એટલે કદાચ મારે અગાઉથી ત્યાં બેસી જવું એ આવશ્યક હોય. આ બેમાંથી એક
પગલું ભરવું એ જરૂરનું છે કે નહીં એનો નિશ્ચય બધી વસ્તુ તપાસીને તમારે જ કરવાનો
છે. એમાં હું જવાબદાર નથી પણ તમે છો, કેમ કે ત્યાંની વસ્તુસ્થિતિ હું ન સમજે.
બાપુ
શ્રી વલ્લભભાઈ પટેલ,
સ્વરાજ્ય શ્રીમ,
બારડોલી
Friday, January 1, 2021
Dr.24.07.1928 Gandhiji letter to Patel
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment