Friday, January 1, 2021

Vichar Sagar 1

॥ ॐ तत्सत् परमात्मने नमः ॥
શ્રી વિચારસાગર
તરંગ પહેલો
અનુબંધ સામાન્ય નિરૂપણ
વસ્તુનિર્દેશરૂપ મંગળાચરણ
दोहा-जो सुख नित्य प्रकाश विभु, नाम रूप आधार ।
मति न लखै जिहि मति लखै, सा मैं शुख अपार ॥१॥
જે પરમાત્મા સુખરૂપ, નિત પ્રકાશરૂપ (જ્ઞાનરૂપ) અને વ્યાપક છે, જે નામ
અને રૂપમાત્રને આધાર છે તથા બુદ્ધિ વડે જે જાણી શકાય તેવું નથી, પરંતુ બુદ્ધિ
જેની સત્તાથી બીજ પદાર્થો જાણી શક્તાને સમર્થ થાય છે, તે સાનંત અને શુદ્ધ
ચૈતન મારું સ્વરૂપ છે. ૧
દેહરાના ત્રીજા ચરણનૈ અર્થ પંડિતો આ પ્રમાણે પણ કરે છે : 'શબ્દની શકિત-
વૃત્તિ વડે બુદ્ધિ જે બ્રહ્મને જાણી શકતી નથી, પણ લક્ષણાવૃત્તિ વડે જેને જાણી શકે
છે.” અથવા મલિન મતિ જે બ્રહ્મને જાણી શકતી નથી, પણ શુદ્ધ મતિ જેને જાણી
શકે છે' ઇત્યાદિ.
अब्धि अपार स्वरूप मम, लहरी विष्णु महेश ।
विधि रवि चन्दा वरुण यम, शक्ति धनेश गणेश ॥२॥
મારું સ્વરૂપ અનંત સમુદ્ર જેવું છે; વિષણુ, મહેશ્વર, પ્રતા, સૂર્ય, ચંદ્ર વરુણ,
થમ, શકિત, કુબેર અને ગણપતિ એ સઘળા મારા પાર રીતન્યસ્વરૂપ સમુદ્રના તરંગો છે.
શંકા-વિષ્ણુ, શિવ વગેરે ઈશ્વરની (માયાવિશિષ્ટ ચેતનની) લહરીઓ સંભવે છે,
પણ તમારા પ્રત્યક્ આત્માની લહરીઓ સંભવતી નથી, માટે ઈશ્વરનું મંગળ કરવું
જોઈએ. તમારા પ્રત્યક્ આત્માનું મંગળ કરવાથી સર્વ દેવના મંગળની સિદ્ધિ થાય
નહિ એના સમાધાન માટે કહે છે કે-
जा कृपालु सर्वशको, हिय धारत मुनि ध्यान ।
ताको होत उपाधित, मोमै मिथ्या भान ॥३॥

No comments:

Post a Comment