श्रीतुलसीकृत रामायण
શુદ્ધ ગુજરાતી ભાષાંતર
अरण्यकाण्ड प्रारंभ
श्लोकाः-मूलं धमतरोविवेकजलधेः पूर्णेन्दुमानन्ददम् ।
वैराग्याम्बुजभास्करं ह्यघधनध्वान्तापहं तापहम् ॥
मोहाम्भोधरपूगपाटनविधौ स्वःसम्भवं शंकरम् ।
वन्दे ब्रह्मकुलं कलङ्कशमनं श्रीरामभूपप्रियम् ॥१॥
ધર્મરૂ પી વૃક્ષના મૂળ, વિવેકરૂપી સમુદ્રને આનંદ દેનાર પૂર્ણ ચંદ્ર, વૈરાગ્યરૂપી કમળને
(ખીલવનાર) સૂર્ય, પાપરૂપી ગાઢ અંધકારને નાશ કરનારા, (ત્રણ) તાપને હણનારા, મેહરૂપી
વાદળાના સમૂહને છિન્નભિન્ન કરવામાં આકાશથી ઉત્પન્ન થનાર પવનરૂપ, બ્રહ્મદેવના વંશજ (કુળમાં
ઉત્પન્ન થયેલ), કલંકનો નાશ કરનાર અને શ્રીરામરાજાને પ્રિય શંકરને હું નમું છું. ૧
सान्द्रानन्दपयोदसौभगतनुं पीताम्बरं सुन्दरम् ।
पाणौ बाणशरासनं कटिलसत्तूणीरभारं वरम् ॥
राजीवायतलोचनं धृतजटाजूटेन संशोभितम्
सीतालक्ष्मणसंयुतं पथिगतं रामाभिरामं भजे ॥२॥
ગાઢ આનંદમય અને મેઘ સમાન સુંદર શરીરવાળા, સુંદર પીળાં વસ્ત્રો ધરનારા, હાથમાં
ધનુષ-બાણવાળા, કેડમાં શોભતા ભાથારૂપ ભારવાળા, શ્રેષ્ઠ, કમળ સમાન વિશાળ નેત્રોવાળા,
( મરતક પર ) ધરેલા જટાજૂટથી સારી રીતે શોભી રહેલા અને સીતાલક્ષ્મણ સહિત માર્ગમાં
જતા પરમ આનંદદાયક શ્રીરામચંદ્રજીને હું ભજું છું. ૨
સોહ-ઉમા રામ ગુન ગૂઢ, પંડિત મુનિ પાવહિં બિરતિ 28
* પાવહિં મેહ બિમૂઢ, જે હરિ બિમુખ ન ધમ રતિ ૧// શe
(શ્રી મહાદેવજી કહે છે : ) હે પાર્વતી ! શ્રીરામના ગુણો ગૂઢ છે; પંડિતો અને મુનિઓ
તે સમજી વૈરાગ્ય પામે છે; પરંતુ જે ભગવાનથી વિમુખ છે અને જેને ધર્મમાં પ્રેમ નથી, તે
મહામૂઢ માહ પામે છે.
No comments:
Post a Comment