Saturday, January 2, 2021

શ્રીમદ્ ભાગવત્ મહાત્મ્ય ૧- Sanskrit to Gujarati

ज्ञान यदा प्रतिनिवृत्तगुणोमिचक्रमात्मप्रसाद उत यत्र गुणेष्वतंगः ।
कैवल्यसंमतपथस्त्वथ भक्तियोगः को निर्वृतो हरिकथा सुरतिर्न कुर्यात् ॥

नैषातिदुःसहा क्षुन्मां त्यक्तोदमपि बाधते ।
पिबन्तं त्वन्मुखाम्भोजच्युत हरिकथामृतम्
ની આ સનમાર્ગદશી અને કલ્યાણકારી બહુજનસેવા દીર્ધ જીવી છે એ
પ્રાર્થના કરું છું, કારણ એમણે લીધેલો અને શ્રોતાજનોને લેવરાવેલા
"एतदालम्बनं शेष्ठम् एतदालम्बन परम् ।
एतदालम्बनं ज्ञात्वा ब्रह्मलोके महीयते ॥
શ્રીમદ્ ભાગવતને
ઉઘાડ
{ ઉદ્ઘાટન કાર સ્વામી પ્રણવતીર્થ, “ સ્વાધ્યાય, ” આબુગિ૨િ)
पुराणैर्दशभिः विप्राः प्रोक्तः रुद्रस्तथैव च ।
चतुर्भिर्भगवान्विष्णुभ्यां ब्रह्मा प्रकीर्तितः ।।
अग्निरेकेन विप्रेन्द्राः तथैकेन दिवाकरः ।
एवं मूर्ति विधानेन द्वारेणैव मुनीश्वराः ।।
प्रतिपाद्यो महादेवः स्थितः सर्वासु मूर्तिषु ।
स एव मोचकः साक्षात् शिवः सत्यादिलक्षणः ।।
( સ્કન્દપુરાણ )
પુરાણ અઢાર છે. તેમાંનાં દસ ઈશ્વરની રુદ્રમૂર્તિના માહાસ્યનું પ્રતિપાદન કરે છે, ચાર પરમેશ્વરની વિષ્ણુ-
ભાવનિ રૂપ મૂર્તિનું, બે તેની બ્રહ્મા મૂર્તિનું, એક અગ્નિ મૂર્તિનું, ને એક, પૂષન તત્વ આદિત્યનું માહાત્મ્ય
ગાય છે; એમ વિવિધ ઇશ્વરરૂપોનાં મૂર્તિવિધાન દ્વારા પ્રતિપાદ્ય તે એક મહા-દેવ પરમ-તેવું જ છે, કે જે એ
સર્વ “ મૂતિ એ ''માં સમાન રૂપે અનુસ્મૃત છે, અને બધાં જ પુરાણોનું તાત્પર્ય, “ સત્ય-જ્ઞાન-અનન્ત ” એવાં
સ્વરૂપલક્ષણ જેનાં વેદ કહે છે તે, મંગલમય બ્રહ્મ તત્વમાં છે, કે જે સાક્ષાત્કાર દ્વારા જીવનો મોક્ષ સાધનાર
એક જ પરા૫ર વસ્તુ છે.
મોટા ભાગના, લાખે નવ્વાણું હજાર નવસે નવાણુ માનવીઓના ચિત્તમાં, કર્મ-વાસનાદિ જેનાં ઘટકે છે
એવા સહજ સ્વભાવે, સંસારપરસ્તી સુદઢમૂલ હોય છે. આપણામાંનાં જેઓ એમ માને છે કે “ એવું અને
વિશે હશે, પરંતુ મારે વિશે તે તેવું નથી ” તે પણ લગભગ બધાં જ, અભાનપૂર્વક તેય, અંદરથી તે પૂરા
સંસારસ્વાદિયા જ હોય છે. સાક્ષી ભાવે પિતાને જોવાની કળ ગુરુસેવનને રૂડે પ્રતાપે જેને લીધી હોય તેવાં ધન્ય-
ભાગ્ય મુમુક્ષુઓ આ હકીકતને બરાબર જાણે છે. આત્મા પરમ પ્રેમાસ્પદ તથા પરમ પ્રિય હોવાથી, એવા સમદર્શી
મહાનુભાવે સિવાયના અન્ય સન્નિષ્ઠજનોને પણ જેની ખબર પડી શકતી નથી તેવા સાત્વિક અહંકારથી આપણે
બધા વ્યાપ્ત હોવા છતાં, પ્રાયઃ પ્રત્યેક મનુષ્ય અંદરથી તે પોતાને ઉત્તમ અધિકારી જ માનતા હોય છે; ને ચતુર
કહેવાતું લેક પણ એમ થાપ ખાઈ જાય છે-જ્યાં પોતાની વાત આવે ત્યાં, ને પોતાના ચિત્તમાં સંસારનો સ્વાદ
સુદઢ હોવા બાબત, અજાણતાં તે આત્મવંચના કરી બેસે છે. એનું નામ જ ભગવાનની માર્યા, કે જેને શ્રી
મુખે જ હુરત્યયા કહી છે. તેથી, સાવ પ્રાકૃત ઉપરાંત, અધ્યાત્માભિમુખ મનુષ્યમાંનાં પણ ઘણાં ખરાં સ્વભાવતઃ,
પરમેશ્વરના સંસાર પાલક લેખાતા અંશ પ્રત્યે વિશેષ રુચિ ધરાવતાં હોય છે. તેથી, વિષ્ણુ પુરક પુરાણેનો પ્રચાર
લભ માન,

क्वचिद् ब्रह्मा क्वचिद्विष्णुः क्वचिद्रुद्रः प्रशस्यते ।
नानेन तेषामाधिक्य न्यूनत्व वा कदाचन ॥
तत्तत्कल्पोयवृत्तान्तमधिकृत्य માઁષfમઃ |
पुराणानि प्रणीतानि विद्वांस्तत्र न मुह्यति ॥
ભાગવતમાં વિદ્વાનની કસોટી હોવા બાબતની ઉકિતને એક એવા ગૌણ અર્થ પણ કરાય છે કે શિક્ષણ,
સ્વતંત્ર વિચાર તેમ જ સમન્વય વૃત્તિના આજના “ બુદ્ધિવાદ ના જમાનામાં સંકીર્થ સાંપ્રદાયિકતા વિચાર-
શીલ વગરને પ્રમાણમાં હવે ઓછી પથ્ય છે. જો રૂઢ વાચાર્યોને આગ્રહ રખાય તો તે ઝડપથી વધતા વગેરે
આ સાંપ્રદાયિક ગ્રન્થથી વિમુખ કે ઉદાસીન બની જાય. એવું થવા પામે નહિ તે માટે, આ ગ્રન્થમાં બુદ્ધિ-
પ્રધાન સમાજને રુચે અને વિરોધભાવને શમાવે તેવા લદ્યાર્થી છતા કરી આપવા એ પંડિતાઇની કપરી કસોટી
છે; છતાં તેમ કરવું આવશ્યક પણ છે:-
उदीरितोऽर्थः पशुनापि गृह्यते
हयाश्च नागाश्च वहन्ति चोदिताः ।
अनुक्तमाप्यूहति पण्डितो जनः
परेङ्गितज्ञानफला हि बुद्धयः ॥
પ્રમાણમાં અનુદાર એવી આ બીજી કલ્પનાને આપણે કોરે મૂકીએ તે પ્રથમ વધારે ઉદાર વિચારને
અનુસરીએ, ને તે રીતે આ ભાગવત ગ્રન્થનું એક સિંહાવકન કરીને આપણે જોઈ લઈ એ, કે ખરેખર, કેવી
ખૂબીથી એ પરમ કેવલ અદ્વૈતનું પ્રતિપાદન કરે છે, ને તે છતાં સાથેસાથ, દુન્યવી વ્યવહાર માટે તદધિકારી
ઉપાસકોના વિશાળ સમુદાયને દ્વૈતભાવની સામગ્રી પણ મબલખ પૂરી પાડે છે.
આપણા શાસ્ત્રગ્રન્થનાં જે નામો પાડવામાં આવેલાં છે, તે નામાભિધાનમાં જ જે તે ગ્રન્થના આશયનું
ઘણું રહસ્ય સમાઈ રહેલું હોય છે. સંસ્કૃતમાં નામ ધાતુજન્ય છે, નામનો અર્થ જ્યારે તેના ધાતુના સમ્યફ
જ્ઞાનદ્વારા યથોચિત પ્રકારે સમજવામાં આવે છે, ત્યારે તે શબ્દને સાચો મૂળ અર્થ આપમેળે પ્રગટ થઈ - તત્તે
થતાદ્યથઃ પ્રજાને મહારમનઃ - સમયના વહેવા સાથે તેના ઉપર ચડી ગયેલાં લૌકિક વાચાર્યોના મેલ-
થર વેગળા થઈ જાય છે. વિશાળ દૃષ્ટિસંપન્ન આચાર્યએ યોજના પણ એવી કરી છે, કે તેમનાં કથનોના દરેક
વાંચનાર પોતપોતાના સંસ્કાર અને તજજન્ય અધિકાર પ્રમાણે અર્થ ઘટાવી શકે; અને પ્રત્યેક સન્નિષ્ઠ પાઠક,

No comments:

Post a Comment